દુનિયા ઉપર આવેલી અનેક મહામારીઓમાં એઇડ્સને પણ એક મહા રોગ ગણી શકાય કારણકે આ બીમારી પણ જેને થાય છે તેને એક દિવસ જીવનના સુર્યાસ્ત સુધી પહોંચાડી દે છે, આજે વિશ્ર્વ એઇડ્સ દિવસ નિમીત્તે આ મહારોગની ચર્ચા થવી જોઇએ ત્યારે ગુજરાતના અને જામનગરના પ્રાપ્ત આંકડાઓ પરથી એવું કહી શકાય કે રાજયમાં હજુ ખુબ જાગૃતતાની જરૂર છે, જામનગરને લાગે વળગે છે ત્યાં સુધી આ મહા રોગને લઇને વધુ ચિંતાજનક સ્થિતી નથી.