ડો. બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે રાપરમાં ભાજપ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ મોરચાના રાપર શહેર પ્રમુખ રામજીભાઈ મુછડીયા, શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ કારોત્રા, ઉમેશભાઈ સોની, મધુભા વાઘેલા, હઠુભા સોઢા, ઉકાભાઈ, મેલાભાઈ ચૌહાણ, બાબુભાઈ મુછડીયા, રમેશભાઈ, ભરતભાઈ અને માવજીભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા