તારાપુર: પ્રગતિ પથ યાત્રા અંતર્ગત તારાપુર કનેવાલ તળાવની ધારાસભ્ય વિપુલભાઈ પટેલે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
Tarapur, Anand | Jun 14, 2026 તારાપુર તાલુકાના વલ્લી ખાતે આયોજીત કાર્યક્રમમાં ધારાસભ્ય વિપુલભાઈ પટેલ હાજર રહ્યા હતા અને કનેવાલ તળાવની મુલાકાત લઈ તેનું નિરિક્ષણ કર્યું હતું. આ કનેવાલ તળાવમાંથી આણંદ જીલ્લાના તારાપુર તેમજ ખંભાત તાલુકાના ગામો તથા સૌરાષ્ટ્રના 9 જીલ્લાના અંદાજીત 1800 ગામમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. આ પ્રસંગે તારાપુર શહેર તેમજ તાલુકા સંગઠનના પ્રમુખ,હોદ્દેદારો,પદાધિકારી,વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ,નગરપાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ ગ્રામજનો હાજર રહ્યા હતા.