ગોધરા: અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના : ગોધરા ખાતે ભાજપ કાર્યકર્તાઓની કાર્યશાળા યોજાઈ
અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના : ગોધરા ખાતે ભાજપ કાર્યકર્તાઓની કાર્યશાળા યોજાઈ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવનાર છે,તે અંતર્ગત આજે પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ગોધરા વિધાનસભાની કાર્યશાળા યોજાઈ હતી. કાર્યશાળામાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.