ગોધરા: ગોધરા તાલુકાના આંગળીયા ગામે ઝેરી જાનવર કરડવાને કારણે યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.
ગોધરા તાલુકાના આંગળિયા ગામે ઝેરી જાનવર કરડવાથી 22 વર્ષીય દિનેશભાઈ બાબુભાઈ ભીલનું મૃત્યુ થયું હતું. તેમની માતા ગંગાબેન ભીલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 12 થી 16 એપ્રિલ દરમિયાન ઘરે જમણા પગની એડી પાસે ઝેરી જાનવર કરડ્યું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તરત સારવાર માટે ખસેડ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતની નોંધ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.