ઉમરેઠ: સુંદલપુરામાં ખેતરમાં પશુ ચરાવવા બાબતે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ
Umreth, Anand | Jul 7, 2025 સુંદલપુરામાં રહેતા રણજીતસિંહ ચાવડાએ પોતાના ખેતરમાં પશુઓ ચરાવી રહ્યા હતા જે પશુઓ બાજુમાં કૌટુંબિક ભાઈ જીવતસિંહ ચાવડાના ખેતરમાં જતા રહેતા તેઓએ ઝગડો કર્યો હતો એ દરમિયાન જીવતસિંહના પત્ની મધી તથા રાજુબેન ચાવડા,અશ્વિનસિંહ અને અશોકસિંહ લાકડીઓ સાથે ધસી આવ્યા હતા અનેતેમને અને તેમના પુત્રને માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.