દીવાળી અને અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક,હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદુષણની વિપરીત અસરથી રક્ષવા માટે ફટાકડાનાં ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દશો કરેલ છે. તેના અમલીકરણ તથા દિવાળી તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાનાં કારણે આગ, અકસ્માતોનાં બનાવો ન બને અને જાહેર જનતાની જાન-માલની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે ભરૂચ જિલ્લામાં ફટાકડાનાં ખરીદ, વેચાણ તથા ઉપયોગ પર કેટલાક નિયંત્રણ મુકવામાં આવ્યા છે.