આઝાદીના 79માં વર્ષમાં પણ આણંદ જિલ્લાનું તારાપુર રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવે અને સરકારની ઉપેક્ષાનો ભોગ બની રહ્યું છે. ક્યારેક ખંભાત બંદરના વિકાસ માટે મહત્વની કડી ગણાતી આ રેલવે લાઈન આજે ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક મુસાફરોની હાલત કફોડી બની છે.સ્ટેશનની મુખ્ય ઈમારત, લગેજ રૂમ અને સ્ટાફ ક્વાર્ટર્સ જર્જરિત થઈ ગયા છે.સ્ટેશનની છતના પતરા તૂટી ગયા છે અને લગેજ રૂમના દરવાજા ગાયબ છે.