સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની કફોડી સ્થિતિના સમાચાર વાયુવેગે પ્રસરતા રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને તાબડતોબ વ્યવસ્થામાં સુધારો કરવાની ફરજ પડી હતી.મુસાફરોએ ટ્રેન પકડવા માટે 24 કલાક અગાઉથી લાઈનમાં ઉભા રહેવું પડતું હતું.માત્ર 100 મુસાફરોની ક્ષમતા સામે એક ડબ્બામાં 300થી વધુ લોકોને ઘેટા-બકરાની જેમ બેસાડવામાં આવતા હતા.ભીડને કારણે મહિલાઓ અને બાળકોની સુરક્ષા જોખમમાં હતી.