એસટી વિભાગ દ્વારા જુદા જુદા બસ સ્ટેન્ડ પર ગંદકી અને કચરો ફેલાવતા 256 લોકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી
Bhavnagar City, Bhavnagar | Apr 21, 2026
ભાવનગર એસટી વિભાગ દ્વારા સ્વચ્છતા અંતર્ગત દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભાવનગર ડિવિઝનના તળાજા મહુવા પાલીતાણા સહિત જુદા જુદા બસ ડેપો ખાતે કચરો કરતા 256 લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી રૂપિયા 6,470 નો દંડ વસૂલ્યો હતો. લોકોને સ્વચ્છતા જાળવવા અનુરોધ કરાયો.