ભાવનગર શહેર: ભગવાન જગન્નાથજીની આગામી રથયાત્રાને લઈને પરિમલ ચોક ખાતે કાર્યાલય નું ઉદઘાટન કરાયું
Bhavnagar City, Bhavnagar | Jun 13, 2026
ભાવનગરમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. આ વર્ષે પણ ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41 મી રથયાત્રા નીકળવાની છે. જેને લઈને રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે જે અંતર્ગત શહેરના પરિમલ ચોક ખાતે રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આજરોજ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ધાર્મિક વિધિ સાથે પૂજા આરતી તેમજ ધ્વજારોહણ કરી રથયાત્રા કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.