ગોધરા: કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતેથી પ્રગતિ પથયાત્રાને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું
કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પંચમહાલ જિલ્લાના ગોધરામાં 'પ્રગતિ પથયાત્રા'નો પ્રારંભ થયો છે. રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર અને લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામાં કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી આ યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી.આ યાત્રાનો મુખ્ય હેતુ સરકારના વિકાસલક્ષી પ્રકલ્પોનું નિરીક્ષણ કરવાનો હતો. યાત્રા દરમિયાન પદાધિકારીઓએ નવીન આધુનિક RTO કચેરી અને રેન્જ આઈજી કચેરીની મુલાકાત લઈ ત્યાંની કામગીરી તેમજ કાયદો-વ્યવસ્થાન