વસો: રાજ્યમંત્રીના હસ્તે રામોલ ખાતે રૂ.35 લાખના ખર્ચે નિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરાયું
Vaso, Kheda | Dec 26, 2025 રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે વસો તાલુકાના રામોલ ખાતે નવા આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે ૩૫ લાખના ખર્ચે નિર્મિત આ નવીન બહુમાળી ભવનમાં ઓપીડી લેબ દવાની બારી સહિત ની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે જેનાથી રામોલ સહિત આસપાસના નજીકના લોકોને મફત અને અસરકારક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.