ચોટીલાના રેશમિયા ગામના જાગૃત નાગરિક શિવરાજભાઈ જેબલિયા દ્વારા કાયદા અને ન્યાય મંત્રી કૌશિકભાઈ વેકરીયા ને પત્ર લખી રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યુ હતુ કે ચોટીલા ખાતે નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતા એચ.ટી મકવાણા અંત્યંત પ્રમાણિકતા નિષ્ઠા અને નિષ્પક્ષતા સાથે નાયબ ક્લેક્ટર દ્વારા જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ ગરીબ પીડિત તેમજ સામાન્ય જનતા માટે હંમેશા સંવેદનશીલ રહીને કાર્ય કરે છે તેઓ ચોટીલા થાન અને મુળીતાલુકાની જનતા માટે તેમણે અવિરત મહેનત, ઝડપી નિર્ણય ક્ષમતા