રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ માટે પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, જેમાં તેઓએ ગોધરા તેમજ હાલોલ ખાતે જુદા જુદા કાર્યક્રમો યોજ્યા હતા, પ્રાકૃતિક કૃષિ માટે પોતાનું વિશેષ યોગદાન આપનારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રયાસને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ વધાવ્યો છે, ત્યારે રાજ્યમાં કૃષિમંત્રી તરીકે નિમણૂક થયા બાદ શનિવારે 20 ડિસેમ્બરના રોજ પ્રથમવાર જિલ્લાની મુલાકાતે આવેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિની સ્થિતિને લઈને માહિતી આપી હતી