ગોધરા: ગોધરા શહેરમાં ચૈતર વસાવાના સમર્થનમાં પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા રેલીનું આયોજન
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સેશન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાના વિરોધમાં અને તેમના સમર્થનમાં પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ હાઇકોર્ટ સમક્ષ ચૈતર વસાવાને યોગ્ય ન્યાય મળે તેવી મુખ્ય માંગ બુલંદ કરી હતી.આ પદયાત્રામાં પંચમહાલ જિલ્લાના સાતેય તાલુકાઓમાંથી આમ આદમી પાર્ટીના વિવિધ સંગઠનોના પદાધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા