ગોધરા-લુણાવાડા હાઈવે પર એસ.આર.પી લાઇનના ગેટ સામે બપોરે બાઈક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો. કાલીયાવાવ ગામના રાજુભાઈ વીરાભાઈ બારીઆ અને આરતભાઈ સોરમભાઈ બારીઆ ગોધરા તરફ જઈ રહ્યા હતા ત્યારે ગફલતભરી રીતે હંકારેલી બાઈક રોડ વચ્ચેની લોખંડની પાઈપ સાથે અથડાઈ. બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સથી ગોધરા ખસેડાયા બાદ રાજુભાઈને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં રીફર કરાયા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. આરતભાઈ ગંભીર હાલતમાં ICUમાં સારવાર હેઠળ છે. ઘટનાન