ગોધરા: ગોધરામાં થેલેસેમિયા અને સિકલ સેલના દર્દીઓના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.
ગોધરા શહેરના રાયણવાડી વિસ્તારમાં જૈન ઉપાશ્રય ખાતે રવિવારે થેલેસેમિયા અને સિકલ સેલના દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો હતો. "રક્તદાન મહાદાન"ના સંદેશ સાથે યોજાયેલા આ કેમ્પમાં દાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ આયોજન જૈન યુથ ગોધરા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સાર્થક સેવા ફાઉન્ડેશનનો સહયોગ મળ્યો હતો. સાથે જ શ્રી ગોધરા સ્થાનકવાસી જૈન સંઘ અને શ્રી વીશા નીમા જૈન સંઘ પણ જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે એક બેગ રક્ત અનેક જીવન બચાવી શકે