ગાંધીનગર: સાઈકો કિલરના એન્કાઉન્ટર પર રેન્જ આઇજી વિરેન્દ્ર યાદવની પ્રેસ કોન્ફરન્સ
રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે, 20 તારીખે અડાલજ અંબાપુર કેનાલ પર હત્યાનો બનાવ બન્યો હતો. આરોપીએ વૈભવ નામના વ્યક્તિની છરી મારી હતી. વૈભવની સાથે તેની મિત્રને પણ ઇજા થઈ હતી.આરોપી વિપુલ પરમારની ઓળખ થઈ અને શોધખોળ કરીને પોલીસે ધરપકડ કરી હતી. શરૂઆતમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, ATS અને ગાંધીનગર પોલીસની સંયુક્ત કામથી આરોપી પકડ્યો હતો. આજે આરોપી ગાંધીનગર પોલીસને મળ્યો હતો.આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવીને ધરપકડ કરાઈ હતી.