ગોધરા: ચિખ્રોદ્રા તળાવ કિનારેથી અજાણ્યા પુરુષનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવવા મામલે પોલીસે એડી નોંધી વાલીવારસોની શોધખોળ
ગોધરાના ચિખ્રોદ્રા તળાવ કિનારે ગત ૩૧ મેની સવારે એક આશરે ૫૦ વર્ષના અજાણ્યા પુરુષનો ઝાડની ડાળી સાથે લાલ મફલર વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે ઇમરાન અબ્દુલ સલામ ગરીબાએ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક વિગતો મુજબ, પુરુષે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવી છે. પોલીસે હાલ મૃતકની ઓળખ મેળવવા અને આત્મહત્યા પાછળના સાચા કારણો જાણવા માટ