ગોધરા: રાજ્યસભાના સાંસદ ડૉ જશવંતસિંહ પરમારે શાંતિશાળા સ્થિત મતદાનમથક ખાતે પોતાનું મતદાન કર્યું હતું
પંચમહાલ જિલ્લાના ગોધરામાં નગરપાલિકા ચૂંટણી દરમિયાન રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમારે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું. તેઓ શહેરા ભાગોળ વિસ્તારમાં આવેલી શાંતિ ગુજરાતી મિશ્ર શાળા ખાતેના મતદાન મથક પર પહોંચ્યા અને મતાધિકારનો ઉપયોગ કર્યો. આ પ્રસંગે તેમણે મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરી અને લોકશાહી મજબૂત બનાવવા દરેક નાગરિકે મતદાન કરવું જરૂરી હોવાનું જણાવ્યું. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કે આજનું મતદાન ભારત અને ગુજરાતના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશ