આજ બુધવારના રોજ બપોરે 1 વાગ્યાના સમયે લાખણી ગ્રામ પંચાયત ખાતે મનરેગા યોજના નાં નામ બદલિકરણ તેમજ યોજના માં આવતાં લાભો લોકો સુધી પહોંચે તે માટે લાખણી ખાતે ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું જેમાં સરકારની વિવિધ યોજનાઓ ના અમલીકરણ તેમજ ગ્રામ વિકાસ મુદે વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી પ્રસંગે સરપંચ સુરેશભાઈ ચૌધરી તેમજ ઉપ સરપંચ રૂડસિહ રાજપૂત તેમજ તલાટી સહિત મોટી સંખ્યામાં લાખણી ના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામ સુખાકારી માટે ની વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી