પાણશિણા પોલીસ સ્ટેશન થી 15 જાન્યુ બપોરે 12 કલાકે મળતી વિગતો મુજબ ભથાણ ગામના ખેડૂત ધનજી હીરા કાલીયા એ પરનાળા ની સીમમાં ખેતર વાવવા રાખ્યું હતું એમાં ગેરકાયદે પ્રવેશ કરી ઢોરાઓ છુટા મુકી ખેતર મા ભેલાણ કરી લોકો ને બહાર નીકળવાનું કહેતા ઉશ્કેરાયેલા એ લોકો એ લાકડીઓ વડે હુમલો કરી માર માર્યાની પ્રવિણ કાળુ ભરવાડ, કરણ કાળુ ભરવાડ, જેરામ ભરવાડ તથા એક અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.