ગોધરા: ઉનાળાની કાળઝાળ ગરમીમાં વસુદેવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભુરાવાવ બસ સ્ટેશન ખાતે જરૂરિયાતમંદોને પગરખાંનું વિતરણ
ગોધરાના વસુદેવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાળઝાળ ગરમીમાં માનવતા મહેકાવતું પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે. સિંધી સમાજની સેવાભાવી મહિલાઓ દ્વારા સંચાલિત આ ટ્રસ્ટે ભુરાવાવ બસ સ્ટેન્ડ ખાતે જરૂરિયાતમંદ શ્રમિકો અને ગ્રામ્યજનોને પગરખાંનું વિતરણ કર્યું હતું.40 ડિગ્રીથી વધુ તાપમાનમાં ડામરના ધગધગતા રસ્તાઓ પર ખુલ્લા પગે ચાલતા ગરીબ પરિવારો અને બાળકોની વેદના સમજીને આ પહેલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ અને નગરપાલિકાના કાઉન્સિલરની પ્રેરક ઉપસ્થિ