ગોધરા: વડોદરા-દાહોદ વચ્ચે દોડતી મેમૂ ટ્રેન ૨૬ દિવસ માટે અસ્થાયી રૂપે રદ્દ: પુરી જગન્નાથ રથયાત્રામાં ભીડને પહોંચી વળવા રેક મોકલા
જગન્નાથ પુરી રથયાત્રા ૭ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે પૂર્વ તટીય રેલવેને વડોદરા ડિવિઝનથી એક મેમૂ રેક મોકલવામાં આવશે. આ વહીવટી નિર્ણયને કારણે વડોદરા-દાહોદ-વડોદરા વચ્ચે દોડતી દૈનિક લોકલ ટ્રેન નંબર ૬૯૨૩૩/૬૯૨૩૪ ૨૬ દિવસ માટે અસ્થાયી રૂપે સંપૂર્ણપણે રદ્દ રહેશે.રેલવે પ્રશાસન દ્વારા સત્તાવાર અખબારી યાદી જાહેર કરીને આ રૂટ પર નિયમિત અપ-ડાઉન કરતા નોકરીયાતો અને સ્થાનિક મુસાફરોને વૈકલ્પિક વાહનવ્યવસ્થાનો આશરો લેવા તથા સમયપત્રકની