દિયોદર: કમોસમી વરસાદથી પાક નુકસાન સહાયમાં
વિસંગતતા: કૃષિ મંત્રીની જાહેરાત છતાં ખેડૂતોને ઓછી રકમ મળી હોવાના આક્ષેપ
દિયોદર તાલુકાના ખેડૂત આગેવાન ઈશ્વરભાઈ ચૌધરીએ મીડિયામા કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનની સહાયમાં મોટી વિસંગતતા હોવાની રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ હેક્ટર દીઠ ₹22,000 સહાય આપવાની જાહેરાત કરી હતી, પરંતુ વાસ્તવિકતામાં ખેડૂતોને આટલી રકમ મળી રહી નથી.ચૌધરીના જણાવ્યા અનુસાર, સરકારે વચન આપ્યા મુજબ હેક્ટર દીઠ ₹22,000 મળવાને બદલે ખેડૂતોના ખાતામાં ઘણી ઓછી રકમ જમા થઈ રહી છે. આ બાબતને કારણે ખેડૂતોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે