માળીયા: માળીયાના ચાર ગામોમાં નવા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર યોજના શરૂ કરવા માટે તંત્ર દ્વારા અરજીઓ મંગાવાઈ
Maliya, Morbi | May 27, 2025 માળીયા (મીં) તાલુકાના માળીયા-૪ ગામ/વિસ્તારમાં સા.શૈ.પછાત વર્ગને અગ્રતાક્રમ સાથે નવા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય વાજબી ભાવની દુકાન) ખોલવાના થાય છે. જે અન્વયે ઉકત જણાવેલ ઠરાવમાં દર્શાવેલ અગ્રતાક્રમ તેમજ શરતો મુજબ વાજબી ભાવની દુકાન શરૂ કરવા માટે નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.