નાના ગોખરવાળામાં રૂ. ૨૦ લાખના ગ્રામ સચિવાલય મકાનનું રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત અમરેલી તાલુકાના નાના ગોખરવાળા મુકામે ગ્રામ પંચાયત (ગ્રામ સચિવાલય)ના નવા મકાનના વિકાસકામનું રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજે રૂ. ૨૦ લાખના ખર્ચે બનનાર આ સચિવાલયનું કામ ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવશે. રાજ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના વિકાસલક્ષી નિર્ણયો અને ખેડૂતો મા