ચારુતર વિદ્યામંડળ દ્વારા વલ્લભ વિદ્યાનગરના 81 માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી.ચારુતર વિદ્યામંડળ સંચાલિત ગો. જો. શારદામંદિર શાળા, વલ્લભ વિદ્યાનગર ના એનસીસી ફર્સ્ટ ઓફિસર રેશ્મા પરમારનું એનસીસીમાં DG એનસીસી દિલ્હી દ્વારા નિષ્ઠા, સંમર્પણ અને ઉત્તમ કામગીરી માટે રાષ્ટ્રીય એવોર્ડ મળવા બદલ ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.