ગોધરા: ગોધરા શહેરના રામસાગર તળાવ ખાતે ભાજપ ધ્વારા જન આશીર્વાદ સભાનું આયોજન કરાયું
ગોધરા શહેરના રામસાગર તળાવ ખાતે ભાજપ દ્વારા જન આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય સી.કે. રાઉલજીએ ભાજપ પેનલને જીતાડવા અપીલ કરી. ગોધરા નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે કુલ 117 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપના 24, કોંગ્રેસના 7, આપના 22, AIMIMના 1 અને અન્યના 2 ઉમેદવારો ઉપરાંત 61 અપક્ષ ઉમેદવારો મેદાનમાં હોવાથી ચૂંટણીમાં ત્રિકોણીય અને બહુ-કોણીય મુકાબલો જોવા મળશે.