કઠલાલ: ટાઉનહોલ ખાતેથી તિરંગા યાત્રાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ
Kathlal, Kheda | May 22, 2025 પહેલગામમાં થયેલા આંતકી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ "ઓપરેશન સિંદૂર" દ્વારા શૌર્ય અને બહાદુરીના દર્શન કરાવ્યા છે. રાષ્ટ્રની રક્ષા કરતાં દેશનાં સશસ્ત્ર દળોના જવાનોનાં સન્માનમાં રાષ્ટ્રભાવના સાથે ભવ્ય તિરંગા યાત્રાનું કઠલાલ ખાતે કરવામાં આવ્યું.નગરપાલિકા ટાઉન હોલ થી સરદારશ્રી ના બાવલા સુધી યાત્રાનું આયોજન અધ્યક્ષતા માં કરવામાં આવ્યું હતું.