સુરત : સચિન ખાતે પિયરમાંથી પૈસા લાવવા માટે દબાણ ઊભું કરી પરિણીતાને આત્મહત્યા કરવા મજબૂર કરવાના કેસમાં કોર્ટે પતિને કસૂરવાર ઠેરવી 5 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.આ કેસની વિગત એવી છે કે, સચિન ગુ.હા.બોર્ડ કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા મનોજ મહેન્દ્ર બહેરાની પત્ની પ્રિયંકાએ લગ્નના એક વર્ષના ટૂંકા ગાળામાં આત્મહત્યા કરી લીધી હતી. પ્રિયંકાના પરિવારે પતિ મનોજ, સસરા મહેન્દ્ર, સાસુ શુકેશી સહિતના સાસરિયાઓ સામે દુત્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.