અમદાવાદના વેજલપુરથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીંની અમી કૃપા સોસાયટીમાં એક મકાનની છત ધરાશાયી થવાની ઘટના બની છે. છત તૂટી પડતાં જ સ્થાનિક રહીશોમાં ભારે ડર અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જેનાથી તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.