ગોધરા: શહેરના શરાફ બજાર વિસ્તારમાં વૈષ્ણવ સમાજની શોભાયાત્રા પૂર્વે શોર્ટ સર્કિટ થતા અફરાતફરી મચી, મોટી દુર્ઘટના ટળી
ગોધરાના શરાફ બજારમાં શોર્ટ સર્કિટના કારણે એમજીવીસીએલના કેબલમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ભડાકા સાથે તાર તૂટી પડતાં લોકોમાં ભય ફેલાયો. સદભાગ્યે વૈષ્ણવ સમાજની શોભાયાત્રા પહેલાં જ ઘટના બનતા મોટી દુર્ઘટના ટળી. ગોધરા ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચી આગ કાબૂમાં લીધી. સુરક્ષા માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો. જોકે થોડાં સમય માં સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી.