રાજુલા નાગરિક સહકારી બેંક ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ૧૫ ડિરેક્ટરશ્રીઓ બિનહરીફ પસંદ થવાથી શહેરમાં ખુશીની લાગણી જોવા મળી. આ પ્રસંગે રાજુલાના માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તમામ ડિરેક્ટરશ્રીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ બેંક આગામી સમયમાં વેપારીઓ, નાના તથા સીમાંત ખેડૂતોને વધુ લાભ પહોંચાડે અને શહેરની આર્થિક રીઢ તરીકે વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરી.