નડિયાદ: કલેક્ટર કચેરી એ હિન્દૂ સંઘટનો દ્વવારા મહારાજા ફિલ્મ નો વિરોધ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું
નડિઆદમાં તમામ હિન્દુ સંગઠનઓએ "મહારાજ" ફિલ્મનો વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું.સંતરામ મંદિર, વૈષ્ણવ મંદિર, વિશ્વ હિન્દુ પરિષદ, માઈ મંદિર સહિતના તમામ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાયો. સંતરામ મંદિર ખાતે તમામ હિન્દુ સંગઠનો સંતો મહંતોએ વિરોધ પ્રદર્શન કર્યું.આ ફિલ્મને બેન કરવાને લઈ પોસ્ટરો, બેનરો તેમજ સૂત્રોચાર પોકારી ઉગ્ર વિરોધ કરાયો. સંતરામ મંદિર થી રેલી નીકળી કલેકટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.