ગોધરા: ગોધરા-એક્સપ્રેસવે માર્ગ 6-લેન કરવા સાંસદની ભલામણ:* મુખ્યમંત્રીને પત્ર લખી ટ્રાફિક અને રસ્તાની સમસ્યા હલ કરવા રજૂઆત
ગોધરા ના ભુરાવાવ ચોકડીથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે સુધીના માર્ગને ૬-લેન કરવા રાજ્ય સભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ભલામણ કરવામાં આવી પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરના ટ્રાફિક અને રસ્તાની સમસ્યાને હલ કરવા માટે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે એક મહત્વપૂર્ણ પ્રશંસનીય પગલું ભર્યું છે. તેમણે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને ગોધરા ભુરાવાવ ચોકડીથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે સુધીના