આગથળા-ધાનેરા રોડનું કામ અઢી વર્ષથી અધૂરું સ્થાનિક ખેડૂતોએ નબળી કામગીરી સામે વિરોધનું એલાન કર્યું
Lakhani, Vav Tharad | Dec 25, 2025
આગથળાથી ધાનેરાને જોડતા મુખ્ય માર્ગનું નવીનીકરણનું કામ છેલ્લા અઢી વર્ષથી અધૂરું છે. ગોકળગતિએ ચાલતી કામગીરીથી કંટાળીને સ્થાનિક ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાએ અને ગ્રામજનોએ ફરીથી વિરોધ પ્રદર્શન કરવાનું આહ્વાન કર્યું છે.આ રોડનું કામ અઢી વર્ષથી અનિયમિત રીતે ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્ર દ્વારા કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેનાથી લોકોમાં રોષ વ્યાપ્યો છે