અંબિકા તાલુકાના વલવાડા ખાતે આવેલ શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા ખાતે સંસ્થાના માજી ખજાનચી બીપીનચંદ્ર ભટ્ટ નો સન્માન સમારંભ તથા ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓનો શુભેચ્છા તથા વિદાય સમારંભ શાળાના વાતાનુફુલિત હોલમાં યોજાયો હતો.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સતિષભાઈ પટેલે વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું.તેમજ માજી ખજાનચી સાથે ના ભૂતકાળ ની વાતો વાગોળી હતી.તેમજ સામાન્ય સભા યોજાઈ હતી.