ગોધરા: કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં યોજાઈ પ્રેસ કોન્ફરન્સ
વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે પંચમહાલ જિલ્લામાં વિકાસ અને જનસેવાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં ‘પ્રગતિ પથ યાત્રા’ અને ‘જન કલ્યાણ શિબિરો’ યોજીને છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ સમગ્ર આયોજન અંગેની વિગતવાર માહિતી આપવા માટે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ