આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU) અતંર્ગત કાર્યરત ગોધરાની કૃષિ ઇજનેરી અને ટેક્નોલૉજી કોલેજ ખાતે કૃષિ અને તેને સંલગ્ન ચાલતા ડિપ્લોમા અને સ્નાતકકક્ષાના વિવિધ અભ્યાસક્રમો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા અને સચોટ માર્ગદર્શન આપવાના હેતુથી કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનું આયોજન આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કૃષિ અને સંલગ્ન વિવિધ અભ્યાસક્રમો વિશે સચોટ