વરસે તો વાગડ ભલો' ઉક્તિ યથાર્થ ઠરતી હોય તેમ આ વર્ષે પણ વાગડમાં પુષ્કળ રવિપાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાપર તાલુકામાં ૬૨૧૫૫ હેક્ટરમાં ઘઉં, ચણા, રાયડો, જીરૂ, ઈસબગુલ, વરિયાળી અને ઘાસચારો સહિત શાકભાજીનું વાવેતર ખેડૂતોએ કર્યું છે.વાગડ વિસ્તારમાં દરેક સીજનમાં ખેતી આધારિત પાક ખેડુતો માટે આશીર્વાદ બન્યો છે. નર્મદા કેનાલ પર મોમાઈમોરાથી ભચાઉ સુધીના વિસ્તારમાં અંદાજે વીસ હજાર એન્જિન ચાલે છે જે દુર દુર સુધી ખેતરમાં પાણી પહોચાડી રહ્યા છે