અંકલેશ્વર: હસ્તી તળાવ સિદ્ધેશ્વરી હાઉસિંગ સોસાયટીમાં રહેતો 11 વર્ષીય સગીર ગુમ થતા પિતાએ તેના અપહરણ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ
અંકલેશ્વરના હસ્તી તળાવ સિદ્ધેશ્વરી હાઉસિંગ સોસાયટીમાં રહેતા પંકજ અશોક ચૌધરીના 11 વર્ષીય પુત્ર મોહિત ગત તારીખ-31મી ઓક્ટોબરના રોજ ઘરમાં કોઈને કહ્યા વિના વહેલી સવારે નીકળી ગયો હતો.જેની ભારે શોધખોળ બાદ પણ મળી નહીં આવતા તેના પિતાએ તેનું કોઈ અજાણ્યા ઈસમો અપહરણ કરી ગયા હોવાની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.