ગોધરા: જિલ્લામાં 'જનગણના ૨૦૨૭' ની પૂર્વ તૈયારીઓનો પ્રારંભ: નાગરિકો માટે 'સ્વ-ગણના' પોર્ટલ ૧૭ મે થી કાર્યરત થશે
ભારત સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર રાષ્ટ્રીય જનગણના પ્રક્રિયાના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં 'જનગણના ૨૦૨૭' ની પ્રાથમિક કામગીરીનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના માર્ગદર્શન હેઠળ આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યને સફળ બનાવવા માટેનું આયોજન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. જે અન્વયે જનગણનાની કામગીરીને ક્ષતિરહિત બનાવવા માટે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૦૭ તાલુકા તાલીમ કેન્દ્રો અને શહેરી વિસ્તારની ૦૪ નગરપાલિકાઓ ખાત