ગોધરા: ગોધરા તાલુકાના ભામૈયા ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને 'આત્મા' પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે ગોધરાના ભામૈયા સ્થિત ત્રિમંદિર સંકુલ ખાતે 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ઓર્ગેનિક ખેતી પદ્ધતિ અપનાવવા, ખેતી ખર્ચ ઘટાડવા અને જમીન-માનવ સ્વાસ્થ્યનું જતન કરવા માર્ગદર્શન આપવાનો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.