તળાજા: તળાજા પતિના ત્રાસથી કંટાળેલી મહિલાની ફરિયાદ, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ
મળતી માહિતી મુજબ, પીડિત મહિલાના લગ્ન વર્ષ 2021માં ઘોઘા તાલુકાના અવાણીયા ગામના રહેવાસી છત્રપાલસિંહ ગોહીલ સાથે થયા હતા. લગ્નના પ્રારંભિક સમયમાં દંપતિનો સંસાર સામાન્ય રીતે ચાલતો હતો, પરંતુ પછી પતિના દારૂ પીવાની ટેવને કારણે ઘરમાં વિવાદ શરૂ થયા હતા. મહિલાના જણાવ્યા અનુસાર, પતિ રાત્રે મોડે ઘરે આવતા અને દારૂના નશામાં ગાળો આપી ઝઘડો કરતા હતા. ઘણી વખત સમાધાન થયા છતાં