ભાવનગર શહેર: ભાવનગર-શકૂર બસ્તી સ્પે. ટ્રેનને જુલાઈ સુધી લંબાવાઈ, DRM કચેરી ખાતેથી માહિતી અપાઈ
Bhavnagar City, Bhavnagar | Jun 25, 2026
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, મુસાફરોની સુવિધા અને ટ્રાફિકને પહોંચી વળવા માટે ટ્રેનનો સમયગાળો વધારવામાં આવ્યો છે. ભાવનગર-શકૂર બસ્તી ટ્રેનને હવે 31 જુલાઈ, 2026 સુધી ચાલશે. ટ્રેનનો સમય દર શુક્રવારે ભાવનગરથી ઉપડી, બીજા દિવસે શનિવારે શકૂર બસ્તી પહોંચશે. જ્યારે દર શનિવારે શકૂર બસ્તીથી ઉપડી, બીજા દિવસે રવિવારે ભાવનગર પહોંચશે.