વડગામ તાલુકાના મેમદપુર ગામના મનરેગાના શ્રમિકો છેલ્લા ત્રણ મહિનાથી પોતાના વેતનના નાણાં ન મળતા હોવાના આક્ષેપો સાથે પાલનપુર ગ્રામ વિકાસ કચેરી ખાતે તેઓ પહોંચ્યા હતા. આજે શનિવારે સાડા ચાર કલાકે તેમને પ્રતિક્રિયા આપીને કહ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી તેમને પૈસા નથી મળી રહ્યા.