ગોધરા: નગર ભાજપ યુવા મોરચા દ્વારા મલ્લિકાર્જન ખડગેના વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં મૌન રેલીનું આયોજન કરી વિરોધ કરાયો
ગોધરા શહેરમાં મલ્લિકાર્જન ખડગેના વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ભાજપ યુવા મોરચા દ્વારા મૌન રેલી યોજાઈ હતી. રેલી લાલબાગ બસ સ્ટેન્ડથી શરૂ થઈ બાવાની મઢી પાસે પૂર્ણ થઈ. તેમાં ભાજપના કાર્યકર્તાઓ, નગરના હોદેદારો અને વિવિધ મોરચાના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી દરમિયાન શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે અંતે ખડગે વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા. આગેવાનો મુજબ આ નિવેદન ગુજરાતના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડનારું છે.