ગોધરા: સાંપ રોડ પર આવેલ 'વરૂણ બેકર્સ' નામની સંસ્થામાં શ્રમ વિભાગ દ્વારા દરોડા પાડીને એક તરૂણ શ્રમયોગીને બાળમજૂરી માંથી મુક્ત
ગોધરાના સાંપ રોડ પર આવેલ 'વરૂણ બેકર્સ' નામની સંસ્થામાં શ્રમ વિભાગ દ્વારા દરોડા પાડીને એક તરૂણ શ્રમયોગીને બાળમજૂરી માંથી મુક્ત કરાવવામાં આવ્યો છે. આ સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારી સામે શ્રમ વિભાગે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, મુક્ત કરાવેલા તરૂણ શ્રમયોગીને દૈનિક માત્ર ₹૪૫૦ રોકડા ચૂકવવામાં આવતા હતા. એટલું જ નહીં, સંસ્થા દ્વારા તેને કોઈ પણ પ્રકારનું હાજરી કાર્ડ કે પગાર ચીઠ્ઠી પણ આપવામાં આવતી ન હતી, જે શ્ર